“કાવ્યાનુભવ લઈ લીધા પછી ભાવક પાછો વ્યવહાર—જગતમાં આવે છે ત્યારે, કાવ્યનો અનુભવ સાથે લઈને આવે છે. તેના પૂર્વના અનુભવમાં કાવ્યનો અનુભવ ઉમેરાય છે, તેની સાથે એકરસ થઈ જાય છે, પરિણામે ભાવક વ્યવહાર—જગતનો અનુભવ પણ કંઈક વધારે રહસ્યપૂર્વક કરતાં શીખે છે. જગતને સમજવાની તેની શક્તિ વધેલી છે. કાવ્યથી તે વધારે સંસ્કારી થયો છે.” - શ્રી રામનારાયણ વિ. પાઠક
~ તર્કબદ્ધ પૃથક્કરણશીલતા વિવેચનની વિઘાતક? લેખ જન્મભૂમિમાં, ઝવેરચંદ મેઘાણી