કૃષ્ણ: "પણ અન્યાયને સિંહાસન-ચ્યુત કરો ત્યારે તે અટકશે, અન્યાયને પંપાળવાથી નહીં. દુર્યોધન જેવા દુર્જનો જગતમાં ઘણાય છે પણ તે સિંહાસને નથી તેથી તેમનાથી જગતના અનાથોને અન્યાય થઈ શકતો નથી. આ અન્યાય સિંહાસનારૂઢ છે. નથી તે ભીષ્મને ગાંઠતો, નથી દ્રોણને સાંભળતો. ગાંધારીની પ્રાર્થના તો તેના કાનને પણ પહોંચતી નથી તો મારી શી વાત! તે દહાડે કૃષ્ણાની લજ્જાનું રક્ષણ ભીષ્મ, દ્રોણ, વિદુર કરી શક્યા નહીં, ધન્ય છે તે ન્યાયનિષ્ઠ સત્પરાયણ ગાંધારીને. એણે સંતાનને જ ત્યજવાનું કહ્યું પણ ત્યાં સભા સૂનમૂન રહી. એને આપણે નહીં બચાવી શકીએ."
~ કુરુક્ષેત્ર પુસ્તકમાંથી, લેખક: મનુભાઈ પંચોળી 'દર્શક'
No comments:
Post a Comment