Wi-fi Power Saver Mode in Debian

Saturday, January 31, 2026

I’m using Xfce Debian. On other day, I was using Debian at lower battery % (< 10%). Then I started to face an issue with wifi. It work sometime but most of the time, I won’t. The issue was Debian (or Xfce?) aggressively enable the power saving options when the laptop is at low battery.

Run the following command to get the list of devices.

sudo iw dev

This returns a list of devices. Get the interface name from the output e.g. wlp2s0 or similar for wifi and check if power saver is on or off.

sudo iw dev wlp2s0 get power_save

You should see a result like - Power save: on. Turn off by running following command.

sudo iw dev wlp2s0 set power_save off


---

કુંડલિની જાગૃત ≠ સમાધિ

Wednesday, January 28, 2026

કુંડલિની જાગૃત થયા પછી સમાધિ થાય તે અવસ્થાએ પહોંચવામાં ઓછામાં ઓછાં ત્રણ વર્ષ અને વધુમાં વધુ અઢાર વર્ષ લાગે છે. પરંતુ તે માટે સિધ્ધયોગીની કૃપા એ પણ જરૂરી છે.

~ કુંડલિની યોગ, વિભાકર પંડ્યા


---

દેવ-દેવીએાએ વિદાય લીધી

Friday, December 19, 2025

એક વાર મા આનંદમયીના અંતેવાસી ગુરુપ્રિયા દેવી અને અન્ય ભક્તો માની પાસે એક આશ્રમમાં બેઠાં હતાં. માએ પોતાના શૈશવકાળની વાત કાઢી — "એક વાર ખેવડામાં શારદાપૂજા અને દુર્ગાપૂજાનો ઉત્સવ ઉજવાતા હતો. હું ત્યારે સાવ નાની હતી. પૂજાના આગલા દિવસે હું દાદીમા સાથે જમવા બેઠી. જમતા જમતાં મેં ખુલ્લી આંખે જોયું કે દુર્ગા માતા અને અન્ય દેવ-દેવીઓ ઉત્સવના સ્થળેથી વિદાય લે છે. જતી વખતે દુર્ગા માતાએ એટલું જ કહ્યું કે— “આ અનુષ્ઠાનમાં અમુકના ઘરમાં સૂતકને સ્પર્શદોષ થયો છે. સંતાન-પ્રસવમાં પાળવામાં આવતા સ્પર્શાસ્પર્શને નિયમ તૂટયો છે. આ સ્થળ અપવિત્ર થયું છે. અહીં અમારાથી રહી શકાય તેમ નથી. અમે સૌ હવે પ્રસ્થાન કરીએ છીએ.” મેં આ બધું એકાગ્ર થઈ સાંભળ્યું અને દેવ-દેવીઓને જતાં જોયાં. દાદીમાને આના વિષે કશું જ્ઞાન ન હતું. એમણે મને સહેજ ધક્કો મારી કહ્યું —જમ ને! જમવા બેઠી છે કે આમતેમ ડાફેડિયા ભરવા બેઠી છે?' મેં તેમને કંઈ જ કહ્યું નહિ. મૌન રહી.”
માની આ વાત સાંભળી પાસે બેઠેલા એક ભકતે કહ્યું—“મા, આ વાતને જરા વધારે સ્પષ્ટ કરોને!”
ત્યારે મા બોલ્યાં—“જ્યાં નૈમિત્તિક કર્મ કરવામાં આવે છે ત્યાં સ્પર્શાસ્પર્શનું અને પૂરી પવિત્રતા જાળવવાનું ધ્યાન રાખવું વિશેષ છે. અનુષ્ઠાન ઈત્યાદિમાં સ્પર્શાસ્પર્શનો નિયમ પૂરેપૂર જરૂરી હોય છે. પાળવો જોઈએ.”

~ મા આનંદમયીની આનંદયાત્રા, રણધીર ઉપાધ્યાય 


---

વૃક્ષો સાથે વાતચીત

Tuesday, December 16, 2025

સુલતાનપુરની જ આ ઘટના છે. સખી-સમુદાય સાથે ખેતરમાં આંટા મારી નિર્મળા(મા આનંદમયી) વનરાજિમાં પ્રવેશી. ઘણી બધી જાતના ત્યાં નાનાં-મોટાં, ઊચાં-નીચાં, લીલાં-સૂક્કાં ઝાડ હતાં. એક વૃક્ષસમૂહ પાસે નિર્મળા આવીને અટકી અને ન સમજાય એવી રીતે એ વરતવા લાગી. એણે વૃક્ષે સાથે વાતો કરી, તેમનો સ્પર્શ કર્યો, વારંવાર માથું હલાવ્યું, હસી, ગંભીર થઈ અને વળી મૌન રહી. સખી સમુદાય સમજી ગયો કે નિર્મળા વૃક્ષો સાથે વાર્તાલાપ કરે છે. મનુષ્યજાતિની જેમ વૃક્ષાવલી સાથે એને નિકટનો નાતો છે અને તેથી જ તેમની સાથે એક થઈ સંવાદ કરે છે. એ બહેનોને એવું પણ લાગ્યું કે વૃક્ષો પ્રત્યુત્તર વાળે છે. આમ થોડી વાર થયું. ત્યાર બાદ એ છોકરીઓ ઘર ભણી ચાલવા લાગી. રસ્તામાં નિર્મળાને તેની બહેનપણીઓએ વૃક્ષો સાથેની વાતચીત અંગે પૂછ્યું. નિર્મળાએ ફક્ત એટલું કહ્યું કે એ વૃક્ષો જીવિત છે. કેટલાક તો સાધુ--સંત છે. આ જન્મે વૃક્ષ થયા છે. તેમણે મને બોલાવી હતી. તેમણે પોતાની વાત મને કરી. સખીઓ મોં ફાડી નિર્મળાની વાત સાંભળી રહી. કંઈ ગમ ન પડી.

~ મા આનંદમયીની આનંદયાત્રા, રણધીર ઉપાધ્યાય


---

પૂર્વજન્મની વાત

Sunday, December 14, 2025

જ્યારે (આનંદમયી મા)માની ઉંમર પચાસ વર્ષની હતી ત્યારે કનખલ આશ્રમમાં આરામ કરતાં એક દિવસ શિષ્ય સમુદાય સમક્ષ માએ આધ્યાત્મિક વિષયની ચર્ચા શરૂ કરી. દરમિયાન એક ભકતે માને પ્રશ્ન કર્યો – “મા, ગત જન્મમાં આપ શું હતા ?”
માએ તરત જવાબ આપ્યો – “આ મારો પહેલો જન્મ છે.”

~ મા આનંદમયીની આનંદયાત્રા, રણધીર ઉપાધ્યાય


---

દયા અને વિષાદ

Monday, November 24, 2025

ચાલતી ટ્રેને ચડ્યો. બારણાંને ચાવી હતી એટલે મહામુસીબતે બારી વાટે અંદર ગયો. થોડી વારમાં ગાર્ડ આવ્યો. નમ્રપણે મેં બચાવ કર્યો. જતી વેળા તેણે જણાવ્યું કે ધીસ ઇઝ પ્રોસિક્યુશન. બોલ્યા પ્રમાણે કરશે એવી બીક પેઠી. વડાળ આવ્યું. ગાર્ડે મને બોલાવ્યો અને જૂનાગઢની ટિકિટ લેવરાવી. ન તો પ્રોસિક્યુશન, ન ડબલ ચાર્જ. રેલવેના સહવાસથી ક્રૂર અને કઠોર બનેલો પુરુષ આટલો દયાળુ બની ગયો! આવા બનાવો અનુભવી હું દિગ્મૂઢ બનું છું, વિસ્મય પામું છું અને વારંવાર એ ગૂઢ શક્તિને વિચારું છું.

સંકટ વેઠી ચાલતી ગાડીએ ચડી જવાની મૂર્ખાઈ મેં ન કરી હોત તો સારું થાત એ વિચાર આખો દિવસ ડંખતો રહ્યો, પરંતુ સંસારની સંપત્તિઓ અને લાભોનું દબાણ નબળા હૃદયને કેવું નિર્માલ્ય બનાવી દે છે! આંહીની આશાઓ, ધાસ્તીઓ અને વિકટ સંજોગો મારી નાની પાંખોને કેવી ઘાતકી રીતે છેદી નાખે છે એ તો મારું મન જાણે છે.

આપણને ઘણી વાર સ્વપ્નાં આવે જાણે આપણું વહાલામાં વહાલું સદાને માટે આપણાથી જુદું પડ્યું હોય. એ સ્વપ્નની વેદના કેવી તીક્ષ્ણ હોય છે! જાગૃતિમાં પણ મને એવાં સ્વપ્નાં નજરે પડયાં છે. આવી સ્વપ્નવતી ઘડીઓની અંદર જ મને મારી અનાથતાનું ભાન થાય છે. અસંખ્ય આશા, સુખ અને આનંદથી ભરેલી આ દુનિયાની વચ્ચે પણ હું અરણ્યમાં એકલો આક્રંદ કરતો હોઉં એવી કલ્પના મને આ સમયે થઈ આવે છે. એવું થાય તો મારું કોણ, મારા પ્રભુ!

~ ઝવેરચંદ મેઘાણી, અંતર-છબિ પુસ્તકમાંથી 


---

Fonts Rendering on GNU/Linux System - Pt. 0

Monday, November 17, 2025

People think that computers are smart. So smart that they take their life-affecting decision based on computer’s response. They have this perception because of the AI, because the intelligence they’re seeing now with computer software. But, don’t forget that computers are still dumb like they were 50 years ago. Certainly they now know more words (machine instructions) than they were knowing 50 years ago. But, that doesn’t make them such a intelligent.

The reason why we are seeing intelligence in computer is because of the layer of abstractions. Someone created something so that computer can react on 0 and 1. As computer now know how to react on 0 and 1, someone else created something on top of it on how to react on 00, 01, 10, 11. That means computer can react on now four things (00, 01, 10, 11) instead of two because computer already know how to react on two values (0 and 1). They come and build something on top of something as layer of abstractions. And here we are, computer reacting on our life-impacting questions!

One of the layer that is accepted by people is font rendering. They assume that displaying the text on screen is fundamental to computer that computer has this native ability. No! tens of thousand if not million lines of code is written to display the text on screen. Displaying the text on screen or font rendering is tedious, boring thing, and under-reputed thing that nobody is talking about. Under-reputed - yes, tell someone that as programmer, I’m working on software the display text on screen and they say like, what’s new that is already a computer is doing.

With this series of the articles, I’m planning to shed a light on topic - “fonts rendering on GNU/Linux system”. Yes, GNU/Linux system because these articles are created and tested against GNU/Linux system (Debian, if you care)! These articles are not in depth article but exposure to the topic so that you can deep dive further because font rendering is not something simple covered within few articles. It requires extensive technical and background knowledge from multiple domains - linguistic, computer science, art, mathematics are few.


---

Themes

Sunday, November 16, 2025
  • Gruvbox
  • Solarized
  • Tomorrow
  • Nord
  • Dracula
  • Material
  • Monokai
  • Everforest


---

દ્વિતીય વિશ્વયુદ્ધ પાછું હડસેલી દીધું

હવે આપણે કટોકટી ભર્યા ૧૯૩૮ના વર્ષને ફરી યાદ કરીએ. યુદ્ધનાં ઘેરાં વાદળો આકાશમાં છવાઈ રહ્યા હતાં અને આખા યુરોપમાં યુદ્ધની ભારે ગર્જના સંભળાઈ રહી હતી. ડિસેમ્બર મહિનામાં યુદ્ધ ફાટી નીકળશે તેવી દહેશત અનુભવાઈ રહી હતી, નવેમ્બર મહીનાની ૨૩મી તારીખની રાત્રિએ શ્રી અરવિંદને પગે અકસ્માત નડયો હતો. તેમને અકસ્માત નડયો તેના બે અઠવાડિયાં બાદ યુદ્ધ ફાટી નીકળવાની શક્યતા સ્પષ્ટ પણે દેખાઈ રહી હતી. પણ શ્રી અરવિંદના જણાવ્યા પ્રમાણે એમની દિવ્ય આધ્યાત્મિક શક્તિની મદદથી યુદ્ધ પાછુ હડસેલાઈ ગયું હતું; કારણ કે તે સમયે જો યુદ્ધ ફાટી નીકળ્યું હોત તો એમના આધ્યાત્મિક કાર્યમાં ભારે અવરોધ ઊભો થયો હોત. શ્રી અરવિંદે યુદ્ધને પાછું હડસેલી દીધું તેથી સ્વાભાવિક રીતે એવું માની શકાય કે, યુદ્ધ નિર્માણ કરનારાં સઘળા દુઃસાધ્ય બળાએ પોતાનો બધોજ રોષ શ્રી અરવિંદ ઉપર ઠાલવી દીધો, અને એના પરિણામે શ્રી અરવિંદને પગે અકસ્માત નડયો. હિટલરે પોલેન્ડ પર હુમલો કર્યો તેના ઘણા સમય પહેલાં, કોઈપણ વ્યક્તિ જાણી શકે તે પહેલાં, શ્રી અરવિંદને જર્મનીમાં અંધકારગ્રસ્ત આસુરી સત્તાના ઉદય અને આખા યુરોપ ઉપર તેના આકરા આક્રમણની જાણ થઈ ચુકી હતી.

~ શ્રી અરવિંદના સાંનિધ્યમાં બાર વર્ષ, નીરોદબરન


---

એ કેવી સુંદર હતી?

ઉત્સવમાંથી એકલા પડેલા લવણપ્રસાદે વસ્તુપાલને પોતાની પાસે બેસારી, પોતાનો વૃદ્ધ હાથ એના ખભા પર મૂક્યો. એ હાથમાં વિલક્ષણ ધ્રુજારી હતી. એ કાંઈક કહેવા જતો હતો પણ કહી ન શક્યો.

"બાપુ !” મંત્રીએ કહ્યું, “મૂંઝાઓ છો? શી વેદના ભરી છે હૈયે?”

"છોકરા!" રાણાએ મહાપ્રયત્ને કહ્યું, “અઢારેક વર્ષ પૂર્વેનું એક પ્રભાત યાદ આવે છે? મેં તમને ત્રણ ભાઈઓને – પાટણ ભણવા જતાને – મહેણાં મારેલાં. આજ છાનોમાનો એની ક્ષમા યાચુ છું.” કહેતે કહેતે એણે વસ્તુપાલનો ખભો વધુ જોરથી દબાવ્યો, “ને તને તારી બાએ કહ્યું હશે કે નહીં, પણ મેં, તારા બાપુના એક સ્નેહી તરીકે, તારી માને ને બહેનોને થીગડાં દીધેલ વસ્ત્રે મંડલિકપુરની ભાગોળે તે દિવસ દીઠાં તોય હું ચાલ્યો ગયેલો. પણ બેટા ! હું તે દિવસે આગલી રાતનો અસ્વસ્થ હતો.”

“મારી બાને ને બાપુને આપ ઓળખતા?” "એ વાત લાંબી છે. તમને તો કોણે કહી હોય? કહું?"

“આજ નહીં, બાપુ, અમે સૌ સપરિવાર ભેળા બેસીને સાંભળીએ તે દિવસ કહેજો.”

“તારી મા... વસ્તુપાલ! તારી માતા સુંદર હતી."

“બાપુ ! ફરી એક વાર કહો. એ કેવી સુંદર હતી?” વસ્તુપાલે આંખો મીંચી દીધી. એ ધ્યાનમગ્ન બન્યો. લવણપ્રસાદની વાણીને એ પીવા લાગ્યો.

“એવી સુંદર હતી ! - કેમ કહીને વર્ણવું? મને લડવૈયાને એવું શીલવંતું રૂપ વર્ણવતાં ન આવડે. એ સુંદર હતી – પેટ અવતાર લેવા જેવી સુંદર. અમે ક્ષત્રિયો સ્ત્રીની સુંદરતાને એ એક જ રીતે વર્ણવી શકીએ.”

જીવનમાં વસ્તુપાલ એક વાર રડ્યો હતો – લુણિગના અંત સમયે. આંસુ એને આવતાં નહીં. પણ માને સુંદર સાંભળી એની આંખોની પાંપણો પટ પટ થઈ રહી.

~ ગુજરાતનો જય, ઝવેરચંદ મેઘાણી


---