Kiran Chauhan

Cogito, ergo sum // I think, therefore I am.

મહેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે

પાટણના કર્ણદેવ સોલંકીના ભાઈ સાથે માળવાના પરમાર વંશની કુંવરીના વિવાહ થયા અને કહેવત પડી: મહેંદી માળવે, સુગંધ ગુજરાતે. એ કહેવત પરથી કવિ ઈન્દુલાલ ગાંધીએ દિયર-ભોજાઈના સ્નેહનું આલેખન કરતું અદભૂત ગીત લખ્યુ. મહેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે...