પૂર્વજન્મની વાત
Sunday, December 14, 2025
જ્યારે (આનંદમયી મા)માની
ઉંમર પચાસ વર્ષની હતી ત્યારે કનખલ આશ્રમમાં આરામ કરતાં એક દિવસ શિષ્ય
સમુદાય સમક્ષ માએ આધ્યાત્મિક વિષયની ચર્ચા શરૂ કરી. દરમિયાન એક ભકતે માને
પ્રશ્ન કર્યો – “મા, ગત જન્મમાં આપ શું હતા ?”
માએ તરત જવાબ આપ્યો – “આ મારો પહેલો જન્મ છે.”
~ મા આનંદમયીની આનંદયાત્રા, રણધીર ઉપાધ્યાય
---