સાધનાકાળના શરૂના તબક્કામાં વાંચન
Wednesday, September 3, 2025
સાધનાકાળના શરૂ શરૂના તબક્કે જે જુદું જુદું વાંચવામાં પડી જાય છે તે ગૂંચવાડામાં પડશે-એ રીતે એનો માર્ગ ખુલ્લો રહેવામાં અડચણો આવશે. એનું મન એને હજારો પ્રરસ્પર વિરોધી દિશાઓમાં તાણી જશે. અનેક તર્કવિતર્ક જાગશે. સૌથી ઉત્તમ તો એ છે કે સાધનામાર્ગનું વાંચવાની તે વેળા જરૂર નથી જે સૂચવાયું હોય તે જ પ્રેમભાવે, સમર્પણભાવે, શરણાગત રહીને ઉત્કટભાવે કર્યા કરીશું ને એમાં જ્યારે સ્થિત થતા જઈશું ને ભગવાનનો ભાવ આપણામાં સ્થિર થવા માંડે, ત્યાર પછી જે કંઈ વાંચવું હોય તે વાંચવું.
~ જીવન પરાગ, પૂજ્ય શ્રીમોટા
---