Kiran Chauhan

Cogito, ergo sum // I think, therefore I am.

જીવનમાં બદલાવ?

જીવનમાં એકાએક બદલાવ શક્ય નથી સિવાય કે જોરદાર ધક્કો લાગ્યો હોય કે પછી લાંબી પ્રક્રિયાનું પરિણામ હોય.

પત્થર કાંઈ એમ ભાગી ના પડે સિવાય કે એના પર રોજ પાણીનો મારો ચાલતો હોય અથવા તો જોરથી હથોડી વડે પ્રહાર કરવામાં આવ્યો હોય.

જો તમે એમ કહેતા હોય કે કાલે ઉઠીશ ત્યારે હું કોઈક બીજો જ માણસ હોઈશ તો માની શકાય એવું નથી કેમ કે અચાનક જ કેમ પત્થર તૂટી જાય! અને જો એવું જ બનવાનું હોત તો ક્યારનું નાં બની ગયું હોત?

સ્વજનનું જતુ રહેવું, લોક નિંદા, લાચારીની પરાકાષ્ઠા, વગેરે હથોડીનાં વાર છે જ્યારે કાર્યમાં નિયમિતપણું એ રોજ પાણીનો મારો છે. બાકીતો મન તો પત્થરથી પણ મજબૂત છે એ કોઈનાં બાપનું જોતું નથી પછી ભલેને તમે જ કેમ નાં હોય!