યુધિષ્ઠિરના લોહીનું રહસ્ય

સોનાના પાત્રમાં પાણી લઈને આવી પહોંચેલી સૈરંધ્રી(દ્રૌપદી)એ કંક(યુધિષ્ઠિર)ની વાત સાંભળી હતી. બૃહન્નલા(અર્જુન)ને રોકવાનું કારણ પણ એ સમજી ગઈ. એને ખબર હતી કે અર્જુનનો એ નિયમ હતો કે ‘યુદ્ધભૂમિ સિવાય મોટાભાઈને જે કોઈ માણસ ઘા કરે યા લોહી કાઢે એને પોતે કદી સહી શકશે નહિ- તત્કાલ એનો જીવ લીધે જ છૂટકો કરશે.' તો અત્યારે તો યુધિષ્ઠિરનું અડધું મોં લોહીથી ખરડાયેલું હતું!

કંકે ખોબામાં લોહી ઝીલી લીધું એનું કારણ પણ દ્રૌપદી જાણતી હતી : વિના કસૂરે યુધિષ્ઠિરનું લોહી કાઢવામાં આવ્યું હોય ને એ લોહી જો પૃથ્વી ઉપર પડે તો કસૂરવાન માણસનું ધનોતપનોત નીકળી જાય એ નિશ્ચિત હતું!

~ પાર્થને કહો ચડાવે બાણ - 4માંથી, પન્નાલાલ પટેલ

No comments:

Post a Comment