Kiran Chauhan

Cogito, ergo sum // I think, therefore I am.

જીવનચરિત્ર ઉપર શ્રી અરવિંદનો વિચાર

શ્રી અરવિંદના જીવનકાળ દરમિયાન એક મિત્રે તેમને પોતાનું જીવનચરિત્ર લખવા સૂચન કર્યું હતું: આ સૂચન સાંભળી શ્રી અરવિંદે બહુ સૂચક જવાબ આપ્યો હતો. તેઓએ કહ્યું હતું કે તેમનું જીવન કહ્યું કહી શકાય તેમ નથી. જે કહી શકાય તેવું છે તે સૌ જાણે છે. બાકી તો તેઓનું જીવન અગાધ ઊંડાણમાં ચાલ્યું ગયું છે. સપાટી પર તો હવે માત્ર શૂન્ય રહ્યું છે. સતત વહેતા નદીના પ્રવાહનું ચરિત્ર શી રીતે લખી શકાય ? દરિયાની સપાટી પર ક્ષણે ક્ષણે ઊઠતાં મોજાંઓનું આલેખન શી રીતે થઈ શકે?