પેટ ખાલી રાખો
Friday, August 1, 2025
ઘણીવાર એવું સાંભળવા મળે કે પેટ ભરીને ના ખાવ. સાવ સાચી વાત. આયુર્વેદ પણ એમ કે છે. પણ હવે આગળનું સાંભળો. પેટ ભરીને ના ખાવ પણ થોડું થોડું એ પણ થોડા સમયના અંતરે ખાવ. દર બે કલાકે ખાવ પણ થોડું થોડું. કેવી વાત થઇ આ!
ભલા માણસ! પેટ ને આરામ આપો ને. પેટ છે કાંઈ ગટર નથી કે નાખ નાખ કરો.
સાધના માર્ગમાં આગળ વધતાં લોકો ઉપવાસને મહત્વ આપે છે. એટલે પેટ ખાલી રાખવાની વાત થઇ.
બધાના પેટ ભરેલા હોય છે, ખોરાકથી કે મળથી.
---