અધૂરો ઘડો છલકાય ઘણો
આ કહેવતનો અર્થ છે - જેમ અડધો ભરેલો ઘડો હલનચલનથી વધારે છલકાય છે, તેમ અધૂરું જ્ઞાન ધરાવનાર વધારે બોલે છે, વધારે દેખાડો કરે છે. આને લગતી બીજી પણ એક કહેવત છે - ખાલી ચણો વાગે ઘણો. આ કહેવતનો પણ મતલબ સમાન છે.
ભર્તૃહરિ પણ નીતિશતકમાં આ મતલબની વાત કહે છે.
अज्ञः सुखमाराध्यः सुखतरमाराध्यते विशेषज्ञः।
ज्ञानलवदुर्विदग्धं ब्रह्मापि नरं न रञ्जयति॥
અજ્ઞાનીને સમજાવવો સરળ છે, જ્ઞાનીને સમજાવવો તો એનાથી પણ સરળ છે, પણ જેની પાસે અલ્પજ્ઞાન છે, જે અંધકારમાં ડૂબેલો છે, તેને સ્વયં બ્રહ્માજી પણ સમજાવી શકતા નથી.
अज्ञः = અજ્ઞાની
सुखमाराध्यः = सुखम् + आराध्यः = સુખપૂર્વક + પ્રસન્નતાથી
विशेषज्ञः = વિશેષજ્ઞ / જ્ઞાની
सुखतरमाराध्यते = सुखतरम् + आराध्यते = વધુ સુખપૂર્વક + પ્રસન્નતાથી
ज्ञानलवदुर्विदग्धं = ज्ञान + लव + दुर्विदग्धम् = જ્ઞાન + ઓછું / અંશ + ખરાબ રીતે દાજેલો / અહંકારથી ભરેલો
ब्रह्मापि = ब्रह्मा + अपि = બ્રહ્મા + પણ
नरं = નર
न = ના
रञ्जयति = પ્રસન્ન કરવું