શ્રદ્ધાનું જોર
Tuesday, February 17, 2026
શ્રીરામકૃષ્ણ - (કેદારને) શ્રદ્ધાનું જોર કેટલું છે તે તો સાંભળ્યું છે ને? પુરાણમાં કહ્યું છે કે રામચંદ્ર કે જે સાક્ષાત્ પૂર્ણ બ્રહ્મ નારાયણ, તેમને લંકામાં પહોંચવા સારુ પુલ બાંધવો પડ્યો, પણ હનુમાન રામનામમાં શ્રદ્ધા રાખીને એક જ છલાંગે સમુદ્રની પેલી પાર કૂદી પડયા. તેમને પુલની જરૂર નહિ. (સૌનું હાસ્ય)
~ શ્રીરામકૃષ્ણ કથામૃતમાંથી
---