અને ધૌમ્ય ઋષિ (પાંડવોના રાજપુરોહિત) બોલ્યા ‘તેમાં ખોટું થોડું જ છે? ભગવાને વાણી આપી છે તે વેર વધારવા માટે નહિ, વેર ઘટાડવા માટે. ભીમ-દ્રૌપદીએ તે દહાડે મયસભામાં “આંધળાંનાં તો આંધળાં જ હોય'' તે વેણ ન કહ્યું હોત તો આટલી આગ ન થઈ હોત.'
સુવર્ણા (ઋષિ પત્ની) કહે, 'એ તો તમે અતિવ્યાપ્તિ કરો છો, એ નહિ તો બીજું બહાનું કાઢીનેય સુયોધને તો પાંડવોને પજવ્યા જ હોત. લાક્ષાગૃહ વખતે ક્યાં દ્રૌપદી હતાં?'
'તમારી એ વાત સાચી છે પણ તે છતાંય વાણીથી સંધાય પણ છે ને વાણીથી ભંગાય પણ છે. આજે તમે ભાંગ્યું.’
~ કુરુક્ષેત્ર પુસ્તકમાંથી, લેખક: મનુભાઈ પંચોળી 'દર્શક'
No comments:
Post a Comment