આ છ પ્રકારના કર્મોને ઋષિઓએ ષટ્-કર્મ કહ્યાં છે.
૧. શાંતિ કર્મ,
૨. વશીકરણ,
૩. સ્તંભન,
૪. વિદ્વેષણ,
૫. ઉચ્ચાટન, અને
૬. મારણ
ષટ્-કર્મ લક્ષણ
જે પ્રયોગથી કોઈપણ પ્રકારના અવરોધ શાંત થાય છે, અથવાતો અનિષ્ઠ ગ્રહોને શાંત કરવામાં આવે છે એને શાંતિ કર્મ કહેવામાં આવે છે.
જે પ્રયોગથી સ્ત્રી, રાજા, શત્રુ અથવા ઇષ્ટ વશ થાય છે, એટલે કે, પોતાની ઇચ્છા મુજબ વર્તે છે, તેને વશીકરણ કહેવામાં આવે છે.
જે પ્રયોગથી અગ્નિ, પાણી, દુશ્મનના પરાક્રમ અથવા દુશ્મનની સેનાને રોકવામાં આવે છે અથવાતો અવરોધ ઉત્પન્ન કરી શકાય છે તેને સ્તંભન કર્મ કહેવામાં આવે છે.
જે પ્રયોગથી બીજા વ્યક્તિના પ્રેમને તોડી નાખવામાં આવે છે તેને વિદ્વેષણ કહેવામાં આવે છે.
જે પ્રયોગથી વ્યક્તિ પોતાના સ્થાનથી ભાગી જાય છે તેને ઉચ્ચાટન કહેવામાં આવે છે.
જે પ્રયોગ વ્યક્તિના મૃત્યુનું કારણ બને છે તેને મારણ કહેવામાં આવે છે.
~ રાવણ સંહિતા
No comments:
Post a Comment