એકાગ્રતા કેળવવા માટે જરૂરી છે - બ્રહ્મચર્ય, ધ્યાન, અને સતત અભ્યાસ. પણ આ એક જ માર્ગ નથી. એકગ્રતા અનેક માર્ગેથી આવે છે. દ્રોપદીને પામવાની તીવ્ર ઇચ્છાથી જ અર્જુન મત્સ્યવેધ કરી શક્યો, તો કર્ણની એકાગ્રતા એની અર્જુન પ્રત્યેની વૈર ભાવનાને આભારી હતી, વળી શ્રી રામકૃષ્ણ પરમહંસની એકાગ્રતા એમની ભક્તિને લીધે હતી.
જીવનમાં સંભાવનાઓ અસીમ છે. એમાં ઉપર જણાવેલ મુખ્યમાર્ગની સાથે આ અપવાદરૂપી કેડીઓ પણ છે. ઘણીવાર મુખ્યમાર્ગ કરતાં કેડીઓ વધારે જલ્દી પહોંચાડવાની.
No comments:
Post a Comment